અસલ જિંદગીમાં અભિમાની અને અવિનયી છે 'જેઠાલાલ'? કોણે ખોલી પોલ?
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સીરિયલમાં જેઠાલાલનો રોલ કરતાં એક્ટર દિલીપ જોષીનો ચાહક વર્ગ ખૂબ મોટો છે. સોશિયલ મીડિયા પર પણ દિલીપ જોષી ભલે ખૂબ ઓછા એક્ટિવ રહેતા હોય પરંતુ તેમના ફોલોઅર્સની સંખ્યા 2 મિલિયન જેટલી છે. જેઠાલાલના રોલ થકી દિલીપ જોષીને ઘર-ઘરમાં ખૂબ નામના મળી અને દેશ-વિદેશમાં પણ લોકો તેમને તેમના ઓનસ્ક્રીન પાત્રના નામે જ ઓળખે છે. દિલીપ જોષીની ગણતરી ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીના હાઈએસ્ટ પેઈડ એક્ટર્સમાં થાય છે. સીરિયલમાં વિનમ્ર અને સંસ્કારી જેઠાલાલની છબિ અસલ જિંદગીમાં પણ એવી જ પડી ગઈ છે. જોકે, હાલમાં જ એક ફેને કડવો અનુભવ શેર કર્યો છે. સોશિયલ મીડિયા પર એક ચાહકે દાવો કર્યો છે કે, દિલીપ જોષી રિયલ જિંદગીમાં ઘમંડી છે.
Authored byCurated byશિવાની જોષી|TimesXP Gujarati|12 Sept 2023