રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં આમંત્રણ મળતાં દીપિકા ચીખલિયાએ શું કહ્યું?
1692 views
મનોરંજન વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોરામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશ-વિદેશના વીવીઆઈપીઓ ઉપસ્થિત રહેશે. મનોરંજન જગતના પણ કેટલાય સિતારાઓને પ્રાણપ્રતિષ્ઠામાં હાજરી આપવા માટે આમંત્રણ આપી દેવાયું છે. રામાનંદ સાગરની સીરિયલ 'રામાયણ'માં સીતા માતાનું પાત્ર ભજવનારી અભિનેત્રી દીપિકા ચીખલિયાને પણ રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં હાજર રહેવાનું નિમંત્રણ પાઠવાયું છે. ઉપરાંત આ જ શોમાં રામનું પાત્ર ભજવનારા એક્ટર અરુણ ગોવિલને પણ આમંત્રણ મળ્યું છે. રીલ લાઈફના રામ-સીતા ભગવાન રામના મંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં હાજરી આપવા અયોધ્યા જશે.