'તારક મહેતા...'ના સેટ પર કલાકારોનું થાય છે શોષણ? 'રોશનભાભી'નો ચોંકાવનારો દાવો
સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રોશનભાભીનો રોલ કરનારી અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલ (Jennifer Mistry Bansiwal) શોના મેકર્સ પર હેરાનગતિનો આરોપ લગાવી ચૂકી છે. જેનિફરે શોના પ્રોડ્યુસર આસિત કુમાર મોદી, શોના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ અને પ્રોજેક્ટ હેડ સોહિલ રામાણી પર હેરાનગતિનો આક્ષેપ કર્યો છે. હવે જેનિફરે સેટ પરનો માહોલ કેવો હોતો હતો તેનો ખુલાસો કર્યો છે.