'તારક મહેતા....'ના મેકર્સે જેનિફર મિસ્ત્રીને અનપ્રોફેશનલ ગણાવી હતી, હવે સપોર્ટમાં આવ્યો આ વ્યક્તિ
1011 views
મનોરંજન વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોસીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)માં રોશનભાભીનો રોલ કરીને એક્ટ્રેસ જેનિફર મિસ્ત્રી બંસીવાલ (Jennifer Mistry Bansiwal)ને ખૂબ પોપ્યુલારિટી મળી હતી. 15 વર્ષ સુધી આ શો સાથે જોડાયા બાદ જેનિફરે તેને અલવિદા કહી દીધું છે. સાથે જ એક્ટ્રેસે શોના મેકર્સ પર શારીરિક અને માનસિક સતામણીનો આક્ષેપ કર્યો છે. તેણે શોના પ્રોડ્યુસર આસિત કુમાર મોદી સામે જાતીય સતામણીની તેમજ સોહિલ રામાણી અને જતીન બજાજ સામે માનસિક સતામણીની ફરિયાદ નોંધાવી છે. જેનિફરે ફરિયાદ કર્યા બાદ શોના મેકર્સે પ્રતિઆક્ષેપ કર્યા છે. તેમણે જેનિફરને બેશિસ્ત ગણાવી છે સાથે જ કામ પર ધ્યાન ના આપતી હોવાનો અને સેટ પર અન્ય લોકો સાથે ગેરવર્તણૂક કરતી હોવાનો આરોપ લગાવ્યો છે.