અમદાવાદ એરપોર્ટ પર ત્રીજુ ટર્મિનલ બની શકે, કયા પેસેન્જરોને મોટો ફાયદો થઈ શકે
1093 views
અમદાવાદ ના વિડીયોને સબસ્ક્રાઈબ કરો
લાઈક કરો
કોમેન્ટ્સ કરો
શેર કરો
અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) પર ત્રીજા ટર્મિનલનું નિર્માણ થઈ શકે છે. અમદાવાદ શહેરમાં સતત પેસેન્જરોની સંખ્યા વધી રહી છે, જેથી એરપોર્ટ પર યોગ્ય મેનેજમેન્ટ થઈ શકે એના માટે આ નિર્ણય લેવાઈ શકે છે. આ મુદ્દે અદાણી એરપોર્ટ્સના CEO અરુણ બંસલે TOIને બુધવારે જણાવ્યું કે અમે અત્યારે તો T1 અને T2ના વિસ્તરણની કામગીરીમાં વ્યસ્ત છીએ. પરંતુ જે પ્રમાણે એરપોર્ટ પર પેસેન્જરોની સંખ્યા વધી છે એને જોતા ચોક્કસપણે અહીં બ્રાન્ડ ન્યૂ ટર્મિનલ બનાવવું પડશે.
ahmedabadTimesXP GujaratiUpdated: 5 Jun 2023, 1:44 pm