ગઈકાલે મોડી રાત્રે પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં વિકરાળ આગ ફાટી નીકળતા અનેક સૂકા વૃક્ષો તેની ઝપેટમાં આવી ગયા હતા. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ફોરેસ્ટ વિભાગ ઉપરાંત ફાયર બ્રિગેડની ટીમે તેને બૂઝાવવાના પ્રયાસ તાબડતોબ શરૂ કર્યા હતા. જોકે, સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં ડુંગર પર વરસાદ પડતાં મોટાભાગની આગ તેના કારણે ઓલવાઈ ગઈ હતી. હાલ જે છૂટાછવાયા સ્થળ પર આગ ચાલુ છે તેને ઓલવવાના પ્રયાસો વન વિભાગ અને ફાયર બ્રિગેડ દ્વારા ચાલુ છે. ઈનપુટ્સ: દક્ષેશ શાહ
ahmedabadTimesXP GujaratiUpdated: 30 Apr 2023, 8:57 am