અમદાવાદ ઈસ્કોન અકસ્માત: પિતા પ્રજ્ઞેશ પટેલ અને પુત્ર તથ્ય પટેલે હાથ જોડી માફી માગી, ઉઠકબેઠક પણ કરી
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરો
અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે પ્રજ્ઞેશ પટેલ અને તેના પુત્ર તથ્ય પટેલને ખુલ્લા પગે બ્રિજ પર ચલાવવામાં આવ્યા હતાં અને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. રીકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ સમક્ષ પિતા પ્રજ્ઞેશ પટેલ અને પુત્ર તથ્ય પટેલે હાથ જોડી માફી માગી હતી અને ઉઠકબેઠક પણ કરી હતી. આજે અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર વહેલી સવારે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત અમદાવાદમાં સૌથી મોટો ગણી શકાય તેવા અકસ્માત પૈકીનો એક છે. જેમાં 10 લોકોનાં કમકમાટીભર્યાં મોત થયાં છે. રાજપથ ક્લબ તરફ જતી કારે લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં રોડ પર લોહીનાં ખાબોચિયાં ભરાઈ ગયાં હતાં. અકસ્માત એટલો ગંભીર હતો કે ફિલ્મમાં જે દ્રશ્ય સર્જાય છે તેમ લોકો 25થી 30 ફૂટ દૂર સુધી ફંગોળાયા હતા. ઘટના સ્થળ ઇસ્કોન બ્રિજ હોવાથી એક તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.