સુરતના અડાજણ વિસ્તારમાં સાત લોકોના મોતની ઘટનામાં મનિષ સામે હત્યાનો ગુનો નોંધાયો
1035 views
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોસુરતમાં એક જ પરિવારના સાત લોકોના મોતની ચોંકાવનારી ઘટનામાં આખરે પોલીસે કલમ ૩૦૨ હેઠળ મનિષ સોલંકી સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. ૨૮ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ બનેલી આ ઘટનામાં અડાજણ વિસ્તારના સિદ્ધેશ્વર અપાર્ટમેન્ટમાં પોતાના પરિવાર સાથે રહેતા મનિષ સોલંકીએ તેના ત્રણ બાળકો, પત્ની અને વૃદ્ધ માતાપિતાને ઝેર આપી તેમની હત્યા કર્યા બાદ પોતે પણ જીવન ટૂંકાવી લીધું હતું. અડાજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં કરાયેલા ઉલ્લેખ અનુસાર, ૩૭ વર્ષના મનિષ સોલંકીએ કોઈક કારણોસર પરિવારજનોને ઝેરી દવા પીવડાવી હતી. એટલુંજ નહીં, આ ફરિયાદમાં એવું પણ જણાવાયું છે કે મનિષની માતા શોભનાબેન અને દીકરી દિશાના ગળા પર કાળા ચકમાના નિશાનો પણ હતા. આ ઘટના બની તે દિવસે સવારે ૧૧ વાગ્યાની આસપાસ મનિષને ત્યાં કામ કરતો કારીગર તેજુ રામસહાય તેના ઘરે આવ્યો હતો, પરંતુ કોઈએ દરવાજો ના ખોલતા તે બાજુના ફ્લેટમાં થઈને મનિષના ફ્લેટની પાછળના ભાગ તરફ ગયો હતો અને સ્લાઈડરનો કાચ તોડી અંદર જોતાં તેને આ ઘટનાની જાણ થઈ હતી. ત્યારબાદ સવારે ૧૧.૪૯ મિનિટે અડાજણ પોલીસને સુરત સિટી કંટ્રોલ રૂમમાંથી ઘટનાસ્થળ પર પહોંચવા માટે મેસેજ મળ્યો હતો.