ડોંકી ફ્લાઈટ પકડાયા બાદ આખરે એવું તો શું થયું કે હાલ ગુજરાતના એજન્ટો નવરા થઈ ગયા છે?
1021 views
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોપોલીસની વધતી ભીંસ અને દુબઈથી નિકારાગુઆ જવા નીકળેલી ડોંકી ફ્લાઈટ પકડાઈ ગયા બાદ છેલ્લા લગભગ દોઢેક મહિનાથી ગુજરાતના એજન્ટો નવરા ધૂપ થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. સૂત્રોનું માનીએ તો નિકારાગુઆવાળી ફ્લાઈટમાંથી રિટર્ન થયેલા પેસેન્જર્સની પૂછપરછમાં પોલીસને એજન્ટોના નેટવર્ક વિશે ઘણી માહિતી મળી હતી, જેના કારણે મોટાભાગના એજન્ટો પણ હાલ અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે. કલોલ અને મહેસાણાના કેટલાક નામચીન એજન્ટોએ છેલ્લા ઘણા દિવસોથી ગોવામાં જ ડેરા-તંબૂ નાખ્યા હોવાની માહિતી પણ IamGujaratને મળી છે. એટલું જ નહીં, પાસપોર્ટમાં ગમે તેવી છેડછાડ કરી શકતો અને ટોપ લેવલ પર સેટિંગ ધરાવતો મુંબઈનો એક એજન્ટ પણ હાલ જેલની હવા ખાઈ રહ્યો હોવાથી લોકોને બેનંબરમાં અમેરિકા મોકલવાનું કામકાજ હાલ સાવ ઠંડુ પડી ગયું છે. એવી પણ ચર્ચા છે કે હાલ વાયા તુર્કી કે પછી બીજા કોઈ દેશોમાંથી મેક્સિકો પહોંચાડતા એજન્ટોએ પણ પોતાનું કામકાજ બંધ કરી દીધું છે.