ગુજરાતી વૃદ્ધ પેસેન્જરનું મુંબઈ એરપોર્ટ પર મોત થવાના મામલે એર ઈન્ડિયાને 30 લાખ રૂપિયાનો દંડ
1046 views
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોન્યૂયોર્કથી આવેલા વૃદ્ધ ગુજરાતી પતિ-પત્નીને સમયસર વ્હીલચેર પૂરી ના પાડી તેમને પગપાળા ચાલવાની ફરજ પાડવામાં આવી હોવાના મામલામાં DGCA દ્વારા એર ઈન્ડિયાને કસૂરવાર ઠેરવીને 30 લાખ રૂપિયાો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઘટનામાં વૃદ્ધ ગુજરાતી પેસેન્જર થોડું ચાલ્યા બાદ ઢળી પડ્યા હતા અને તેમનું એરપોર્ટ પર જ મોત થયું હતું. DGCA દ્વારા આ કેસની ગંભીરતાથી નોંધ લઈને તમામ એરલાઈનને પેસેન્જર લેન્ડ થાય તે સાથે જ તેને વ્હીલચેર પૂરી પાડવાની તાકીદ કરી છે. 12 ફેબ્રુઆરીએ બનેલી આ ઘટનામાં 80 વર્ષના બાબુભાઈ પટેલ અને તેમના પત્ની નર્મદાબેન પટેલ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ન્યૂયોર્કથી મુંબઈ લેન્ડ થયાં હતાં, તેમણે અગાઉથી જ વ્હીલચેર બુક કરાવી રાખી હતી, પરંતુ ફ્લાઈટમાંથી ઉતર્યા બાદ ઘણો સમય વ્હીલચેરની રાહ જોયા બાદ આખરે તેમણે ચાલતા જ એરપોર્ટની બહાર જવાનું નક્કી કર્યું હતું.