એરલાઈન્સ અને ઓનલાઈન ટ્રાવેલ પોર્ટલ્સને કઈ બાબતે કેંદ્ર સરકારે ચેતવણી આપી?
1002 views
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોકેંદ્ર સરકારે એરલાઈન્સ અને ઓનલાઈન ટ્રાવેલ એગ્રીગેટર્સ સામે લાલ આંખ કરી છે. ફ્લાઈટની ટિકિટ બુક કરાવો ત્યારે વેબ-ચેક ઈન કરવું પડે છે અને જો ના કર્યું હોય એરપોર્ટ પર જઈને કરાવો ત્યારે એરલાઈને નક્કી કરેલો ચાર્જ ચૂકવવો પડે છે. એવામાં એરલાઈન્સ અને ઓનલાઈન ટ્રાવેલ એગ્રીગેટર્સ ફ્રી મેન્ડેટરી વેબ ચેક-ઈનનો વિકલ્પ આપવા છતાં દરેક સીટને પેઈડ તરીકે દર્શાવે છે. ઉપરાંત કન્ફર્મ ટિકિટ હોવા છતાં કેટલાક મુસાફરોને બોર્ડિંગ કરતા અટકાવાય છે અને ટિકિટ કેન્સલ કરાવી હોય તો રિફંડ પણ નથી આપવામાં આવતું. એરલાઈન્સના આવા બધા ગતકડાં સામે જ કેંદ્ર સરકારે નારાજગી દર્શાવી છે.