ઓડિશામાં બાલાસોર રેલ અકસ્માત: અત્યાર સુધી 260ના મોત અને 900થી વધુ લોકો ઈજાગ્રસ્ત
1020 views
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોઓડિશાના બાલાસોરમાં થયેલા ભયંકર અકસ્માતમાં અત્યાર સુધી 260 લોકોના મોત થઈ ચૂક્યા છે અને 900થી વધુ લોકો ઘાયલ થઈ ચૂક્યા છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તથા ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટ્ટનાયકે ઘટનાસ્થળની મુલાકાત કરી હતી ત્યારે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘટના સ્થળે પહોંચીને તમામ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. એક રેલવે અધિકારીના જણાવ્યા મુજબ, બેંગ્લુરુ હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન હાવડા જઈ રહી હતી અને એ સમયે પાટા પરથી ઉતરી ગઈ હતી. જેના કેટલાંક ડબ્બા બીજા પાટા પર જઈને પડ્યા હતા. પાટા પરથી ઉતરી ગયેલા આ ડબ્બા શાલીમાર ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન સાથે ટકરાયા હતા. જે બાદ તેના પણ ડબ્બા પલટી ખાઈ ગયા હતા.