DGCAએ એર ઈન્ડિયાને ફટકારી નોટિસ, ગુજરાતી કપલ સાથે બનેલી ઘટનાની ગંભીર નોંધ લીધી
ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ શુક્રવારે એર ઈન્ડિયાને કારણદર્શક નોટિસ ફટકારી છે. એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ન્યૂયોર્કથી મુંબઈ આવેલા 80 વર્ષના વૃદ્ધને વ્હીલચેર ના મળતાં તેમને ચાલવું પડ્યું હતું. જેના કારણે તેમને હાર્ટ અટેક આવતાં મોત થયું હતું. એર ઈન્ડિયાને ઠપકો આપતાં DGCAએ નોટિસમાં કહ્યું કે, એરલાઈને એરક્રાફ્ટ્સ રૂલ 1937 અંતર્ગત CAR (સિવિલ એવિએશન રેગ્યુલેશન્સ)ની જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું છે. એર ઈન્ડિયાને કારણદર્શક નોટિસનો જવાબ સાત દિવસમાં આપવાનું કહેવામાં આવ્યું છે.