અમદાવાદી યુવક ગંભીર અકસ્માતના 9 મહિના બાદ ફરીથી ચાલતો થયો
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરો
ધ્રુવનો અકસ્માત થયા બાદ તેના પરિવારજનો છૂટા પડી ગયેલા તેના પગને બરફની વચ્ચે મૂકીને હોસ્પિટલ સુધી લાવ્યા હતા. ડૉક્ટરોએ 15 કલાકની જટિલ સર્જરી કરીને ધ્રુવના બંને પગને ફરીથી જોડી દીધા હતા. મહત્વનું છે કે, એકવાર અંગ શરીરમાંથી છૂટું પડે પછી ઈન્ફેક્શન થવાની સંભાવના વધી જાય છે અને તેના લીધે જ પુનઃજોડાણના વધુ પ્રયાસ થતાં નથી. પરંતુ જો અંગોને શરૂઆતના છ કલાકમાં જ બરફમાં વ્યવસ્થિત રીતે મૂકવામાં આવે તો પુનઃજોડાણ શક્ય છે. ધ્રુવ નસીબદાર હતો કે તેના અંગો યોગ્ય રીતે સાચવવામાં આવ્યા હતા અને શસ્ત્રક્રિયા તે 6 કલાકના ગાળામાં જ કરવામાં આવી હતી. ધ્રુવનું ઓપરેશન થયું ત્યારે અમારા સાથી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતાં ઓપરેશનમાં ભાગ લેનારા ડૉ. જતીન ભોજાણીએ કહ્યું હતું કે, "સામાન્ય રીતે 6 કલાક પછી લોહી ઓક્સિજન ગુમાવવાનું શરૂ કરે છે અને અંગ કાળા પડી જાય છે. જો અંગને ફરીથી જોડવામાં આવે તો ઈન્ફેક્શન થઈ શકે છે. રેર કેસોમાં તે કિડનીની નિષ્ફળતાનું કારણ પણ બની શકે છે."