અમદાવાદથી કયા-કયા સ્થળો માટે ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે?
1005 views
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી દેશના અમુક ટુરિસ્ટ સ્થળો માટે ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. આ ફ્લાઈટ્સનું સંચાલન રવિવાર (29 ઓક્ટોબર)થી શરૂ થઈ ગયું છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ જાહેર કરેલું એરલાઈન્સનું વિન્ટર શિડ્યુલ પણ 29 ઓક્ટોબરથી શરૂ થયું છે અને તેની સાથે જ અમદાવાદથી આ નવી ફ્લાઈટ્સ પણ શરૂ થઈ છે. "ઈન્ડિગો એરલાઈન્સે દીવ અને જેસલમેર માટેની ડાયરેક્ટ ફ્લાઈટના બુકિંગ લેવાનું શરૂ કરી દીધું છે. દીવમાં ઐતિહાસિક સ્થળો અને સુંદર દરિયાનાકિનારાઓની મુલાકાત પ્રવાસીઓ લઈ શકશે. જ્યારે ગોલ્ડન સિટી જેસલમેરના પ્રવાસન સ્થળો પણ પ્રવાસીઓને આકર્ષશે", તેમ એરપોર્ટ સંચાલકે જણાવ્યું.