રાજકોટથી અમદાવાદ એરપોર્ટ સુધી વોલ્વો બસ ક્યારથી શરૂ થશે?
1024 views
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોઅમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ગુજરાતનું સૌથી મોટું એરપોર્ટ છે. અહીંથી દેશના વિવિધ શહેરો અને દુનિયાના કેટલાય દેશો માટેની ડાયરેક્ટ ફ્લાઈટ કનેક્ટિવિટી છે. ગુજરાતના જુદા-જુદા શહેરો અને જિલ્લાઓના લોકો હવાઈ મુસાફરી માટે અમદાવાદ એરપોર્ટ પર પસંદગી ઉતારે છે. સૌરાષ્ટ્રમાંથી પણ મોટી સંખ્યામાં લોકો દેશ કે વિદેશમાં ટ્રાવેલ કરવા માટે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફ્લાઈટ લેતાં હોય છે. ત્યારે સૌરાષ્ટ્રવાસીઓની સુવિધામાં વધારો કરવા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા રાજકોટથી અમદાવાદ એરપોર્ટ અને અમદાવાદ એરપોર્ટથી રાજકોટ સુધીની બસ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા એસી વોલ્વો બસ સર્વિસની જાહેરાત કરવામાં આવી છે.