દાદાગીરી કરતાં ગુજરાત પોલીસના કર્મીઓ સામે ફરિયાદ કરવા જાહેર કરાયો હેલ્પલાઈન નંબર
1028 views
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોપોલીસ જનતાની મદદ માટે હોય છે પરંતુ અમુક લુખ્ખાગીરી કરતાં અને વર્દીનો રોફ બતાવતા પોલીસકર્મીઓના કારણે નિષ્ઠા અને ઈમાનદારીથી કામ કરતાં પોલીસકર્મીઓ પર પણ લોકો ભરોસો નથી કરતાં. જોકે, હવે સામાન્ય જનતાને ખોટી રીતે દબડાવતાં કે હેરાન કરતાં પોલીસકર્મીઓ સામે ફરિયાદ થઈ શકે છે. પોલીસની ફરિયાદ કરવા માટે ગુજરાત સરકારે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. શુક્રવારે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રાજ્ય સરકારે જણાવ્યું કે પોલીસ વિરુદ્ધ હેલ્પલાઈન નંબર 14449 પર ફરિયાદ નોંધાવી શકાશે.