નેવાર્કમાં આવેલા હિંદુ મંદિરમાં ખાલીસ્તાનીઓએ લખ્યા ભારત વિરોધી સૂત્રો, તોડફોડ કરી
1008 views
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોખાલીસ્તાનીઓના મનમાં ભારત માટે કેટલું ઝેર ભરેલું છે તેની પ્રતીતી તેઓ થોડા-થોડા દિવસે કરાવતા રહે છે. કેનેડા અને અમેરિકામાં કેટલીયવાર તેઓ હિંદુ મંદિરોમાં તોડફોડ કરીને ભારત વિરોધી સૂત્રો લખી ચૂક્યા છે. ભારત પ્રત્યે નફરત ફેલાવવામાં તેઓ કશું જ બાકી નથી રાખતા. ફરી એકવાર ખાલીસ્તાનીઓએ હિંદુ મંદિરમાં તોડફોડ કરી છે. અમેરિકાના કેલિફોર્નિયા ખાતે નેવાર્કમાં આવેલા હિંદુ મંદિરમાં ભારત વિરોધી અને ખાલીસ્તાઓની તરફેણ કરતાં સૂત્રો લખવામાં આવ્યા હતા. નેવાર્કમાં આવેલા સ્વામિનારાયણ મંદિરની બહારની દિવાલો પર હિંદુ વિરોધી અને ભારત વિરોધી ગ્રેફિટી કરવામાં આવી હતી, તેમ મંદિરના વહીવટી તંત્રનું કહેવું છે.