એરલાઈન ફ્લાઈટ કેન્સલ કરે તો મુસાફરને કેટલું વળતર મળે છે?
1007 views
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોDGCA દ્વારા એર ઈન્ડિયાને કારણદર્શક નોટિસ આપાવામાં આવી છે. મુસાફરોને બોર્ડિંગની ના પાડવી, ફ્લાઈટ રદ્દ કરવી અને ડીલે કરવા જેવી સુવિધાઓ પૂરી પાડવામાં કાચું કાપ્યું હોવાના કારણે એર ઈન્ડિયા પાસે જવાબ માગવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે જે મુસાફરોને બોર્ડિંગની ના પાડવામાં આવી હતી તેમને વળતર ના ચૂકવાતા એર ઈન્ડિયાને 10 લાખ રૂપિયા દંડ કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે, ફક્ત સપ્ટેમ્બર મહિનામાં જ બોર્ડિંગ ના કરવા દેવાના 663 કેસ નોંધાયા છે જ્યારે ફ્લાઈટ કેન્સલ કરવાના કેસ 40,940 છે.