મોબાઈલના વળગણને ઘટાડવા માટે કેવા પગલા લઈ શકાય?
1008 views
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોમોબાઈલના વળગણના કેટલાક લક્ષણો છે, જે દરેકમાં ઓછાવત્તા અંશે જોવા મળે જ છે. સાયકોલોજીસ્ટનું કહેવું છે કે, એંગ્ઝાયટિ, મૂડ સ્વિંગ્સ અને સોશિયલ મીડિયા પર સતત ઓનલાઈન રહેવાની કે તેમાં વ્યસ્ત રહેવાની જરૂર અનુભવ્યા કરવી. વધારે પડતા સ્ક્રીન ટાઈમના લીધે વજન વધી કે ઘટી જાય છે, ઊંઘ ઓછી થઈ જાય છે અને ભોજનની સાયકલ પણ ડિસ્ટર્બ થાય છે. મોબાઈલમાં વ્યસ્ત રહેવાના કારણે લોકોને આસપાસની દુનિયા અને સમયનું ભાન રહેતું નથી, તેઓ કામને પણ ટલ્લે ચડાવ્યે રાખતા હોય છે. મોબાઈલની બહાર અસલ દુનિયામાં લોકો સાથે વાત કરવી મુશ્કેલ લાગે છે.