નવ લોકોની જિંદગી છીનવી લેનારા તથ્ય પટેલને કેટલા વર્ષ જેલમાં કાઢવા પડશે?
1131 views
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોતથ્ય પટેલ, એક એવું નામ કે જેના પર હાલ આખુંય ગુજરાત ફિટકાર વરસાવી રહ્યું છે. અમદાવાદના એસજી હાઈવે પર બેફામ કાર ચલાવી નવ લોકોને મોતને ઘાટ ઉતારી દેનારો ધનવાન પરિવારનો આ નબીરો અને તેનો બાપ બંને હાલ તો જેલના સળીયા ગણી રહ્યા છે, ત્યારે હવે સવાલ એ છે કે ગુજરાતના આ સૌથી ભયાનક હિટ એન્ડ રન કેસના આરોપીને કોર્ટ ક્યારે અને કેટલી સજા ફટકારશે? તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે એસજી હાઈવે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાઈ છે તેમાં તેની સામે IPCની કલમ ૩૦૪ હેઠળ ખૂન ના ગણાય તેવો સાપરાધ મનુષ્ય વધનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે, તથ્ય વિરૂદ્ધ જે અલગ-અલગ કલમો લગાવાઈ છે તેમાં સૌથી વધુ સજાની જોગવાઈ આ જ ગુનામાં છે. આ કેસની તપાસ અમદાવાદ શહેર પોલીસ કમિશનરની સીધી દેખરેખ હેઠળ થવાની છે, અને તેની ચાર્જશીટ પણ એક અઠવાડિયામાં જ દાખલ કરી દેવાશે તેવી જાહેરાત પણ ગૃહમંત્રી દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, તથ્ય પટેલે અકસ્માત કર્યો તેની થોડી વારમાં જ તેના પરિવારજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલે તથ્યને ઘેરીને ઉભેલા ટોળા સાથે ઝઘડો કરી તેમજ ધાકધમકી તથ્યને ક્રાઈમ સીન પરથી ભગાડી ગયા હતા. તેવામાં પોલીસે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલને પણ આ કેસમાં આરોપી બનાવ્યા છે. આ ઉપરાંત, તથ્ય સાથે કારમાં બીજા ચાર લોકો સવાર હતા તેમને પણ પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા હતા.