કેનેડામાં રહેતા ગેંગસ્ટર લખબીર સિંહ લાંડાને ભારત સરકારે UAPA અંતર્ગત આતંકવાદી જાહેર કર્યો છે. તેની સામે પંજાબના મોહાલી અને તરન તારનમાં રોકેટ હુમલાનું ષડયંત્ર કરવા સહિતના કેટલા મામલે કેસ દાખલ કરાયેલો છે. 34 વર્ષના આ આંતકવાદીની કહાણી ચોંકાવનારી છે. આજે તે ભારતનો મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ બની ચૂક્યો છે.