અમેરિકામાં મોતને ભેટેલા ભારતીય પરિવારના અંતિમ સંસ્કાર, પરંતુ રહસ્ય હજુય યથાવત
1014 views
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોઅમેરિકના ન્યૂજર્સીમાં ૦૪ ઓક્ટોબરના રોજ મકાનમાંથી ભારતીય પરિવારના ચાર સભ્યોના મૃતદેહ મળી આવ્યાની ઘટનામાં તમામ મૃતકોના ન્યૂજર્સીમાં જ અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા છે. જોકે, પોલીસે હજુ સુધી ના તો મૃતકોનો પોસ્ટ માર્ટમ રિપોર્ટ જાહેર કર્યો છે કે ના તો બીજી કોઈ માહિતી આપી છે. શરૂઆતમાં પોલીસે જણાવ્યું હતું કે આ ઘટનામાં તેજ પ્રતાપ સિંહે પોતાનું જીવન ટૂંકાવતા પહેલા પત્ની અને બે બાળકોની હત્યા કરી હોઈ શકે છે. જોકે, તેજ પ્રતાપે આવું શું કામ કર્યું તેની કોઈ નક્કર વિગતો હજુ સુધી પોલીસને નથી મળી.