વિદેશમાં સેટલ થઈ ગયેલા અનેક ગુજરાતીઓને હવે PAN એક્ટિવ કરાવવા દોડાદોડી કરવી પડશે
1029 views
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા તાજેતરમાં જ સમગ્ર દેશમાંથી લગભગ ૧૧ કરોડ જેટલા પાન કાર્ડને ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યા બાદ તેની ડેડલાઈન વિતી ગયા પછી ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે, જેમાં વિદેશમાં રહેતા ગુજરાતીઓના પાન કાર્ડનો પણ સમાવેશ થાય છે. પાન કાર્ડ ફ્રીઝ થઈ જતાં હાલ મોટી સંખ્યામાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ પાસે આવા પાન કાર્ડ રિએક્ટિવ કરાવવા માટે ઈન્કવાયરી આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જે NRI પોતાનું નિષ્ક્રિય થઈ ગયેલું પાન કાર્ડ એક્ટિવ કરાવવા ઈચ્છતા હોય તેમણે પોતે ચોક્કસ વર્ષમાં ભારતમાં ૧૮૨ દિવસથી ઓછો સમય રહ્યા છે તેનો પુરાવો રજૂ કરવાનો રહે છે.