પાસપોર્ટ વેરિફિકેશન: હવે પોલીસ સ્ટેશને જવાની કોઈ જરૂર નહીં પડે
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરો
પાસપોર્ટ માટે એપ્લિકેશન કરનારા વ્યક્તિનું વેરિફિકેશન કરવા માટે અરજદારને ફોન કરીને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવતા હોય છે, પરંતુ ખરેખર નિયમો અનુસાર આવું કશુંય કરવાનું જ નથી હોતું. હજુ ઓક્ટોબર મહિનામાં જ અમદાવાદના પોલીસ કમિશનરે કાગડાપીઠ પોલીસ સ્ટેશનની સરપ્રાઈઝ વિઝિટ લેતા નિયમ વિરૂદ્ધ અરજદારને પોલીસ સ્ટેશનમાં બોલાવાતા હોવાનું જાણવા મળ્યા બાદ જવાબદાર પોલીસકર્મી સામે શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી હતી. જોકે, ત્યારબાદ પણ અરજદારોને પોલીસ સ્ટેશન જ બોલાવવામાં આવતાં હતાં, તેવામાં હવે રાજ્યના લૉ એન્ડ ઓર્ડર ડીજીપી ડૉ. શરમશેર સિંઘે એક પરિપત્ર બહાર પાડીને આ પ્રક્રિયામાં કેટલાક મહત્વના સુધારા તાત્કાલિક અસરથી અમલમાં મૂકવા માટે તાકીદ કરી છે. ૨૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ કરવામાં આવેલા આ પરિપત્રમાં જણાવાયું છે કે પાસપોર્ટના અરજદારોને વેરિફિકેશનની પ્રક્રિયા માટે પોલીસ સ્ટેશને રૂબરૂ બોલાવવાની કોઈ જરૂર નથી, એટલું જ નહીં પોલીસે માત્ર અરજદારની નાગરિકતા અને તેનો કોઈ ગુનાઈત ભૂતકાળ છે કે કેમ તેની જ ચકાસણી કરવાની હોય છે, અને તેના એડ્રેસનું વેરિફિકેશન કરવું જરૂરી નથી.