દસ વર્ષ પહેલા ટ્રેનમાં મુસાફરી દરમિયાન ખોવાયો હતો સામાન, પેસેન્જરને છેક હવે મળશે વળતર!
1041 views
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોટ્રેનમાંથી સામાન ચોરી થયો હોવાની એક ઘટનામાં પેસેન્જરને છેક દસ વર્ષ બાદ હવે દોઢ લાખ રૂપિયાનું વળતર મળશે. દિલ્હીની ગ્રાહક સુરક્ષા કોર્ટે નોર્ધન રેલવેને પ્રવાસ દરમિયાન 1.20 લાખ રૂપિયાની વેલ્યૂ ધરાવતો સામાન ગુમાવનારા એક પ્રવાસીને તાજેરતમાં જ 1.45 લાખ રૂપિયા ચૂકવવા માટે આદેશ કર્યો હતો. આ કેસમાં અજોય કુમાર નામના એક પેસેન્જર 2014માં મહાનંદા એક્સપ્રેસમાં દિલ્હીથી પટણા જઈ રહ્યા હતા ત્યારે તેમનો સામાન ચોરાઈ ગયો હતો. પેસેન્જરનો દાવો હતો કે તેમના સામાનમાં કપડાં સાથે દાગીના પણ હતા, જેની વેલ્યૂ 1.20 લાખ રૂપિયા જેટલી થતી હતી. રેલવે તરફથી યોગ્ય પ્રત્યુત્તર ના મળતા પેસેન્જરે આકરે ચોરીના ત્રણ વર્ષ બાદ એટલે કે 2017માં ગ્રાહક સુરક્ષા અદાલતમાં રેલવે સામે કેસ કર્યો હતો, જેમાં તેમણે રેલવે પર યોગ્ય સેવા પૂરી ના પાડવાનો આરોપ લગાવ્યો હતો.