રાજકોટ એરપોર્ટ પર પારાવાર તકલીફોઃ હીરાસર ટર્મિનલનું કામ ક્યાં સુધી ચાલશે?
રાજકોટને એક ઈન્ટરનેશનલ એરપોર્ટ આપવાનો મુદ્દો છેલ્લા સાત વર્ષથી હોટ ટોપિક રહ્યો છે. રાજકોટ નજીક હીરાસર ખાતે એરપોર્ટ બની પણ ગયું છે, પરંતુ હજુ સુધી કોઈ ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ થઈ નથી. હાલમાં જે રીતે કામ ચાલે છે તેના પરથી લાગે છે કે લોકસભાની ચૂંટણી પછી જ હીરાસર ટર્મિનલનું કામ પૂર્ણ થશે અને ત્યાર પછી જ વિદેશની ફ્લાઈટ મળશે.