વલસાડમાં દરિયાકાંઠાના ગામમાં રહેતા લોકોને આવ્યો સ્થળાંતરનો વારો, વધ્યું સમુદ્રનું જળસ્તર
30 વર્ષ પહેલા 46 વર્ષીય અમરત ટંડેલનું ઘર હાલ જ્યાં દરિયાકિનારો છે તેનાથી એક કિલોમીટર અંદરની બાજુ હતું. અમારા સાથી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતાં અમરત ટંડેલે કહ્યું, "હાલ હું નાની દાંતી ગામમાં રહું છું અને દરિયાકિનારો મારા પાડોશીના ઘરને અડીને જ આવેલો છે. મારું બાળપણનું ઘર તો હાલ દરિયાના પાણીમાં ગરકાવ થઈ ગયું છે. અમે 18,000 લોકો એક સમયે મોટી દાંતી ગામના રહેવાસી હતા. દરિયાનું પાણી છેક ગામ સુધી આવી ગયું અને આખા ગામમાં ફરી વળ્યું. જેથી ગામમાં રહેતા બધા જ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની ફરજ પડી હતી."
Authored byCurated byશિવાની જોષી|TimesXP Gujarati|16 Sept 2023