અમદાવાદ એરપોર્ટ પર સ્ટાફની અછતના કારણે અવ્યવસ્થા સર્જાતાં પેસેન્જરોને હાલાકી
1016 views
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરો2020માં અમદાવાદ એરપોર્ટનું ખાનગીકરણ થયા બાદ અદાણી ગ્રુપ તેનું સંચાલન કરી રહ્યું છે. અમદાવાદ એરપોર્ટને નવા રંગરૂપ આપવા અને મેનેજમેન્ટ સુધરવાની દિશામાં કામ ચાલી રહ્યું છે. પરંતુ હાલ તો સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અવ્યવસ્થા અને કર્મચારીઓની અછતના કારણે પેસેન્જરોને હાલાકી પડી રહી છે. એરપોર્ટના એન્ટ્રન્સથી લઈને સિક્યોરિટી ચેકિંગમાં લાંબી લાઈનો જોવા મળી રહી છે. "એરપોર્ટની અંદર પ્રવેશવામાં જ 30 મિનિટ જેટલો સમય લાગી જાય છે એ પછી ચેક-ઈન માટે લાગતો સમય તો અલગ", તેમ દુબઈ જઈ રહેલા અને લાઈનમાં ઊભા રહીને ત્રસ્ત થયેલા એક પેસેન્જરે જણાવ્યું હતું. એન્ટ્રન્સ ગેટ પર પૂરતો સ્ટાફ નથી અને અમુક ચોક્કસ સમયે તો ફક્ત એક જ ઓફિસર હોય છે જે પાસપોર્ટ અને ટિકિટ બંને ચેક કરે છે. જેના કારણે લાંબી લાઈનો લાગે છે.