Tap to unmute
Speed
0.5 X
0.75 X
1 X
1.25 X
1.5 X
2 X
અમૂલના નકલી સ્ટીકર લગાવીને અખાદ્ય ઘી અંબાજી મંદિરમાં મોકલવામાં આવ્યું
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરો
હિંમતનગરમાં આવેલી સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ એટલે કે સાબર ડેરીએ મોહિની કેટરર્સ સામે FIR નોંધાવી છે. બનાસકાંઠા સ્થિત અંબાજી મંદિરમાં અખાદ્ય ઘી સપ્લાય કરવા બદલ મોહિની કેટરર્સ સામે ફરિયાદ નોંધાવામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનના કમિશનર એચ.જી. કોશિયાનું કહેવું છે કે, 28 ઓગસ્ટે મોહિની કેટરર્સ પાસેથી 8 લાખની કિંમતનું 2,820 કિલો અખાદ્ય ઘી જપ્ત કરવામાં આવ્યું છે. 15 કિલોના એક એવા 188 ટીન પણ મોહિની કેટરર્સ પાસેથી જપ્ત કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે, મોહિની કેટરર્સને જ મોહનથાળનો પ્રસાદ તૈયાર કરવાનો કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો હતો.