ભદ્રાને કેમ માનવામાં છે અશુભ? કેમ બ્રહ્માજીએ આપ્યો હતો તેને શ્રાપ?
1035 views
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોરક્ષાબંધનના પર્વ પર ભદ્રા લગભગ દર વર્ષે અડચણ ઊભી કરે છે. ભદ્રાના કારણે રાખડી બાંધવાના મુહૂર્તમાં ગૂંચવણ પેદા થાય છે. આ વખતે પણ રક્ષાબંધન 30 ઓગસ્ટે ઉજવવી કે 31 ઓગસ્ટે એના અંગ મતમતાંર પ્રવર્તી રહ્યા છે. કેટલાક જ્યોતિષીઓ ભદ્રાને અશુભ ગણાવીને 30 ઓગસ્ટે રાત્રે 9 વાગ્યા પછી રાખડી બાંધવાનું સૂચવી રહ્યા છે તો વળી , કેટલાક વૃશ્ચિકી ભદ્રાની ત્રણ ઘડી ત્યાગવાનું કહીને 30 ઓગસ્ટે સવારે 11થી સાંજે 7.50 કલાક સુધી રાખડી બાંધવાનું મુહૂર્ત શુભ છે એમ કહી રહ્યા છે. શું તમને વિચાર આવ્યો કે, આખરે આ ભદ્રા કોણ છે જેના કારણે દર વખતે આ ગૂંચવણ પેદા થાય છે? કેમ તેને અશુભ માનવામાં આવે છે? શા માટે ભદ્રા પૂર્ણ થયા પછી રાખડી બાંધવાનું કહેવામાં આવે છે?