કેનેડામાં ભણતા ગુજરાતી સ્ટૂડન્ટ્સ કેમ સતત સ્ટ્રેસમાં જીવી રહ્યા છે?
છેલ્લા બે-અઢી મહિનામાં કેનેડામાં બે ગુજરાતી સ્ટૂડન્ટ્સના ભેદી સંજોગોમાં મોત થયા છે. તેમના મોતનું સાચું કારણ તો હજુ સુધી બહાર નથી આવ્યું, પરંતુ કેનેડામાં રહેતા ગુજરાતીઓમાં છેલ્લા કેટલાક સમયથી સ્ટ્રેસનું પ્રમાણ સતત વધી રહ્યું છે. એક તરફ કેનેડા જતાં ગુજરાતીઓનો આંકડો વર્ષે દર વર્ષે સતત વધી રહ્યો છે, ત્યારે બીજી તરફ મોટો ખર્ચ કરીને કેનેડા જતાં લોકો પર પ્રેશર પણ વધી રહ્યું છે. હવે ગુજરાતી મા-બાપ પોતાનું સંતાન બારમું ધોરણ પાસ થાય તે સાથે જ તેને કેનેડા મોકલી રહ્યા છે, પરંતુ કેનેડા જઈને માંડ 18-19 વર્ષની ઉંમરના આ બાળકો અચાનક એવા માહોલમાં આવી જાય છે કે જે તેમણે ક્યારેય જોયો કે અનુભવ્યો નથી હોતો. પોતાના સંતાનોને કેનેડા મોકલનારા મા-બાપ હંમેશા એવું જ ઈચ્છતા હોય છે કે તે ભણી-ગણીને જોબ શોધીને ત્યાં જ સેટલ થઈ જાય, પરંતુ કેનેડામાં આ બધું કરવું જરાય આસાન નથી હોતું તે વાત ત્યાં પહોંચેલો સ્ટૂડન્ટ તો સમજી જાય છે, પણ મોટાભાગના કેસમાં તેના મા-બાપ નથી સમજી શકતા.news videosTimesXP GujaratiUpdated: 4 Jun 2023, 3:33 am