વડોદરા બેઠક પરથી નામ જાહેર થઈ ગયા બાદ કેમ ભાજપને રાતોરાત રંજન ભટ્ટને પડતા મૂકવાં પડ્યાં?
1027 views
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોગુજરાતમાં કોઈ ઉમેદવારને ભાજપ તરફથી લોકસભા ચૂંટણીની ટિકિટ મળે અને પોતાનું નામ જાહેર થયા બાદ કોઈ ઉમેદવાર ચૂંટણી લડવાની ના પાડે તેવું અત્યારસુધી ભાગ્યે જ બન્યું છે. જોકે, વડોદરા બેઠક પર રંજનબેન ભટ્ટને રિપીટ કરાયા બાદ અસંતોષ ફાટી નીકળતાં હવે રંજનબેન ભટ્ટે ચૂંટણી ના લડવાની જાહેરાત કરી છે. રંજન ભટ્ટ સામે વડોદરામાં એવા પોસ્ટર્સ પણ લાગ્યા હતા કે ‘ભાજપ તુજ સે બેર નહીં, રંજન તેરી ખેર નહીં…’ એટલું જ નહીં, રંજન ભટ્ટને ટિકિટ મળતાં પક્ષ સામે બળવો કરનારા ભાજપના રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપપ્રમુખ ડૉ. જ્યોતિ પંડ્યાને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. જ્યોતિ પંડ્યાને વડોદરા લોકસભા બેઠકની ટિકિટ મળશે તેવું નક્કી મનાઈ રહ્યું હતું, પરંતુ તેમનું નામ સાઈડ પર રાખીને રંજન ભટ્ટને રિપીટ કરાયા હતા. હાલ રંજન ભટ્ટ પોતે ચૂંટણી લડવા નથી ઈચ્છતા તેવો દાવો કરી રહ્યા છે, પરંતુ ખરેખર તેમને ચૂંટણી નથી લડવી કે પછી પક્ષે તેમને ઉમેદવારી પાછી ખેંચવા માટે આદેશ આપ્યો તે પ્રશ્નનો જવાબ કદાચ ક્યારેય નહીં મળી શકે. જોકે, રંજન ભટ્ટે ઉમેદવારી પાછી ખેંચી લેતા હવે તેમના બદલે કોને ટિકિટ મળે છે તે પણ જોવાનું રહેશે, કારણકે આ બેઠકના પ્રબળ દાવેદાર મનાતા ડૉ. જ્યોતિ પંડ્યાને તો ભાજપે સસ્પેન્ડ કરી દીધાં છે.