કર્ણાટકમાં હાર બાદ તેલંગાણામાં ભાજપ કયો દાવ ખેલશે?
કર્ણાટકની વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ હવે તેલંગાણામાં ભાજપ સામે એક નવી જ મુશ્કેલી પેદા થઈ છે. તેલંગાણામાં સત્તામાં આવવા ભાજપ છેલ્લા ઘણા સમયથી મથી રહ્યો છે. એક સમયે તો મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર ઉથલાવાયા બાદ તેલંગાણામાં પણ નવાજૂની થવાની છે તેવી જોરદાર અટકળો શરૂ થઈ હતી. હવે તેલંગાણામાં વિધાનસભા ચૂંટણીને ખાસ સમય નથી બચ્યો ત્યારે ભાજપ માટે મોટી મૂંઝવણ એ છે કે આ રાજ્યમાં હિન્દુત્વના મુદ્દાને લઈને મેદાનમાં ઉતરવું કે પછી હાલના સીએમ કેસીઆરને જ ટાર્ગેટ કરવા? તેલંગાણામાં ડિસેમ્બર 2023માં ચૂંટણી થવાની શક્યતા છે, રાજ્યના હાલના સીએમ કે. ચંદ્રશેખર રાવ છેક 2014થી સત્તામાં છે, અને તેઓ ત્રીજી ટર્મમાં ચૂંટાવવા માટે પણ મહેનત કરી રહ્યા છે.news videosTimesXP GujaratiUpdated: 17 May 2023, 7:01 pm