કોરોનાની ચમત્કારિક કહેવાતી દવાઓના ફાયદા ઓછા, નુ્કસાન વધારે
કોરોનાના કેસ જ્યારે પણ વધવા લાગે ત્યારે કોઈકને કોઈક દવા પણ રામબાણ ઈલાજના દાવા સાથે ચર્ચામાં આવી જાય છે. પહેલી વેવમાં મેલેરિયાની દવાથી લઈને એન્ટિવાયરલ જ્યારે બીજી લહેરમાં રેમડેસિવિયરની ડિમાન્ડમાં જોરદાર ઉછાળો આવ્યો હતો. જોકે, કોરોના વાયરસ સતત પોતાનું સ્વરુપ બદલતો રહે છે. સેકન્ડ વેવમાં ડેલ્ટા વેરિયંટે હાહાકાર મચાવ્યો હતો. જ્યારે ત્રીજી લહેરમાં ઓમિક્રોનને કારણે કેસો કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. થર્ડ વેવ શરુ થઈ ચૂકી છે ત્યારે મોનોક્લોનલ એન્ટિબોડીઝ અને મોલનુપિરાવિર જેવી એન્ટિવાયરલ ડ્રગને ચમત્કારિક દવા ગણાવાઈ રહી છે. પરંતુ જેમ પહેલી અને બીજી લહેરમાં ચમત્કારિક ગણાવાતી દવાઓ સામે ડૉક્ટર્સ વોર્નિંગ આપી રહ્યા હતા તેવી જ સ્થિતિ થર્ડ વેવમાં પણ જોવા મળી રહી છે.
TimesXP Gujarati|15 Mar 2023